Skip to main content

ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!

આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, કાળાશ જામી જવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં જોવા મળે છે. યુવાનીના ઉંબરે ઉભેલા યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનિકલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખુબ જ સક્રીય બની જાય છે. આ તૈલીયગ્રંથી પર બેકટેરિયા આક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા વધતી જાય છે. પરંતુ હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે જેથી આજે અમે તમને કેટલાક એવા દેશી નુસખા બતાવીશું જેનો ઉપયોગ કરી તમે ખબ જ ઝડપથી એકદમ સાફ, બેદાગ અને ચમકીલો ચહેરો પામી શકશો.

ખીલ થવાના કારણો-

1.સામાન્ય રીતે ખીલ ટીનએજમાં થાય છે કારણ કે આ અવસ્થામાં શરીરમાં સેક્સ હોર્મોન્સનુ પ્રમાણ વધે છે.

2.વધુ પ્રમાણમાં જંકફૂડના સેવનથી પણ ખીલની સમસ્યા ઉદભવે છે.

3.વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે.

4.કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યાને નોતરે છે.

5.મૃત અને તૈલીય ત્વચા પણ ખીલનું કારણ બની શકે છે.

-હળદર- હળદરનો એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. હળદરમાં બેક્ટિરીયાને મારવાની ક્ષમતા હોય છે.

-એક ચમચી હળદરના પાવડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. આ રીતને એક અઠવાડીયા સુધી નિયમિતપણે કરવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે.

-ફુદીનો- ફુદીનામાં શરીરને ઠંડક પહોચાડવાના ગુણોની સાથે તેમાં એન્ટીસેપ્ટિકના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

– થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે સુવાના સમયે લગાવવી અથવા આ પેસ્ટને ગાળીને તેમાથી જ્યુસ કાઢીને તે ચહેરા પર લગાવી સવાર સુધી તેને રહેવા દેવું. સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લેવો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા જડમૂળથી ગાયબ થઈ જશે.

-લીંબુ- લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટીમીન સી જોવા મળે છે, જે ખીલ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.

– બે મધ્યમ આકારના લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો. કોટન(રૂ)ને આ રસમાં નિચોવી તેને ચહેરા પર લગાવવું. જ્યારે તે સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. દિવસમાં બે વાર આ પ્રયોગને અજમાવાથી ખીલની સમસ્યા ત્રણ-ચાર દિવસમાં જ દૂર થાય છે.

-લસણ- લસણમાં એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ખીલને ખુબ જ જલ્દી ઠીક કરે છે

– લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દઈ ચહેરાને ધોઈ લેવો. આવું કરવાથી ખીલ જરૂર દૂર થશે.

-ટૂથપેસ્ટ- ટૂથપેસ્ટનો ઊપયોગ દાંતને સફેદ કરવા માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખીલને દૂર કરવામાં પણ ટૂથપેસ્ટ એક શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.

– રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવું. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે. ખીલ પર માત્ર સફેદ ટૂથપેસ્ટ જ લગાવવી.

-નાસ- નાસએ ખીલ માટેનો સૌથી સારો ઉપાય છે. ચહેરા પર નાસ લેવાથી ઝીણા છીદ્રો ખુલ્લી જાય છે, અને ચહેરા પરની ગંદકી દૂર થાય છે.

– જ્યારે પણ ખીલની સમસ્યા થાય ચાર-પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર નાસ લેવો જોઇએ. નાસ લેવાથી ખીલ તો દૂર થાય જ છે સાથે-સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે.

-બરફ- બરફ પણ ખીલથી છુટકારો અપાવવામાં મદદરૂપ બને છે.

– બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ત્રણ-ચાર દિવસમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે.

-તજ- તજને પીસીને પાવડર બનાવી લેવો, આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં ચહેરા પર લગાવવું.

– આ ક્રિયા દિવસમાં બે વાર કરવાથી ખીલ દૂર થાય છે.

-સંતરાની છાલ- સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો.

– આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું.અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું, આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.

-એપલ વિનેગર- એપલ વિનેગરને સ્કિન માટે ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે.

– એપલ વિનેગરમાં કોટન(રૂ)ને ડૂબાડીને ચહેરા પર લગાવવું. ચહેરા પર એ સૂકાય જાય ત્યાર બાદ ઠંડા પાણીએ ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી ખીલ જરૂર દૂર થશે.

મધ- મધને એક નેચરલ એન્ટીસેપ્ટિક ગણવામાં આવે છે. ખીલની સમસ્યા માટે આ રામબાણ ઈલાજ છે.

– કોટન(રૂ)ને મધમાં બોળીને ચહેરા પર લગાવવું. જ્યારે એ સૂકાય જાય તેને ધોઈ લેવું, ખીલ જરૂરથી દૂર થશે.

પપૈયુ- પપૈયામાં મોટી માત્રામાં એન્ટીસેપ્ટિક જોવા મળે છે. આ ખીલનો ખુબ જ જલ્દી નાશ કરવાની ક્ષમતા રાખે છે.

– એક પપૈયાને છીલીને તેને મિક્સરમાં પીસી લેવું અથવા તેનુ જ્યૂસ પણ કાઢી તેને ચહેરા પર લગાવવું. પંદરથી વીસ મિનિટ ચહેરા પર લગાવી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો.

-કાકડીનું જ્યૂસ- કાકડી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. ગરમીના સમયમાં સ્કિન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

– કાકડીની છાલ કાઢીને તેના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવી. આ પેસ્ટને ચહેરા પર દિવસમાં બે વાર લગાવવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે. કાકડીમાં થોડું લીંબુ અને મધ મિક્ષ કરી લગાવવાથી સ્કિનમાં ગ્લો આવે છે.

-ટામેટા- ટામેટા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. માટે જ તેને સ્કિન માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે.

– ટામેટાને પીસીને તેનું જ્યૂસ કાઢી લેવું, આ જ્યૂસને ગાળીને તેને ચહેરા પર લગાવવું અને સૂકાઈ ગયા બાદ ચહેરો પાણીથી સાફ કરી લેવો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી ખીલ પર તેની અસર ચોક્કસ દેખાશે.

-લીમડો- લીમડાના પાનને આર્યુવેદમાં ચામડીનાં રોગ માટે અચૂક દવા માનવામાં આવે છે.

– લીમડાના પાનને સ્વચ્છ પાણીમાં ધોઈને તેની પેસ્ટ તૈયાર કરવી, આ પેસ્ટને ચહેરા પર લગાવી અડધા કલાક બાદ ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી ખીલ-ફોડલીઓ નાશ પામશે.

-બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મેળવીને મિશ્રણ કરો. આ મિશ્રણને સારી રીતે ચહેરા ઉપર લગાવો. 20 મિનિટ પછી જ્યારે આ મિશ્રણ સારી રીતે સૂકાઈ જાય તો તેને ભીના કોટન બોલથી સાફ કરો. સ્કિન સોફ્ટ અને સ્મૂથ થઈ જશે.

-એલોવેરાના પત્તાનો રસ કાઢીને તેમાં થોડા ટીપા લીંબુનો રસ મેળવો. આ મિશ્રણને ચહેર ઉપર લગાવો, સૂકાઈ ગયા પછી સાફ કરી લો. ચહેરો ખીલી ઊઠશે.

– બારીક પીસેલો બેસનનો લોટ, સંતરાની સુકી છાલનો પાવડર તથા એક ચમચી મલાઈ મેળવીને મિશ્રણ બનાવો. ન્હાવા પહેલા એ મિશ્રણને ચહેરા પર લગાવીને 5થી 7 સુધી રાખવાથી તૈલીય ત્વચાની સમસ્યાથી તરતજ છુટકારો મળે છે.

-મુલતાની માટી પણ તૈલી ત્વચાની સમસ્યામાંથી છુટકારો અપાવશે. તે ત્વચાને ચોખ્ખી કરીને પહોળા કે ખુલ્લા છિદ્રોને બંધ કરે છે. મુલતાની માટીના પાઉડરમાં ગુલાબ જળ ઉમેરીને અઠવાડિયામાં ત્રણ વાર એ પેસ્ટ ચહેરા પર લગાવવી જોઈએ. જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણી વડે એ પેસ્ટને ધોઈ નાખવી.

-ચહેરાને દિવસમાં બેથી ત્રણ વાર ધોવો જોઈએ અને ચહેરાને સાફ કરવા માટે ફેસવોશ કે ક્લિન્ઝિંગ લોશનનો જ ઉપયોગ કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર

Comments

Post a Comment

Popular posts from this blog

હળદર ના ફાયદાઓ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી  ડ્રગ્સ છે એટલે કે દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ એ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે ...

whatsapp મેસેજ થી જાણો ટ્રેન કઈ જગ્યાએ છે.

રેલ્વેમાં યાત્રા તમે પણ કરતાં હશો, પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે રેલ્વે સ્ટેશન પહોંચો છો ત્યારે ખબર પડે છે કે ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી છે. તો સ્ટેશન પર બેસીને રાહ જોવી પડે છે. પરંતુ હવે એવું નહી થાય. IRCTCએ મેસેજિંગ એપ WhatsAppની સાથે મળીને એક નવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની મદદથી તમારા WhatsAppથી ટ્રેનનો સમય જાણી શકશો,આ સાથે જ ટ્રેનને સરળતાથી ટ્રેક કરી શકશો. MakeMyTrip ની સાથે મળીને રેલ્વે હવે whatsAppની મદદથી ટ્રેનના વિશે લાઇવ અપડેટ આપશે.. જાણો આ વિશે... WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા પછી 7349389104 નંબરને તમારી ફોન બુકમાં સેવ કરી લો. આ નંબર આવી ગયા પછી તમારે 139 પર ફોન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. તમે ખાલી એક ટ્રેન નંબરના મેસેજથી ટ્રેનનું સ્ટેટસ જાણી શકશો. આ સુવિધા માટે સૌથી પહેલા તમારે WhatsApp અપડેટ કરવાનું રહેશે. આ સુવિધા WhatsAppના લેટેસ્ટ વર્ઝનની સાથે આવે છે. અપડેટ કરવા માટે તમારે એપ સ્ટોર/પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં જઇને My Apps And Games પર જઇને  WhatsApp અપડેટ આ પછી ટ્રેનનો નંબર લખીને મેસેજ કરો. જેવો તમારો મેસેજ ડિલિવર થશે, રેલ્વે તમને ગણતરીની ...

રાણકી વાવ

રાણકી વાવ (અથવા રાણી કી વાવ) ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. જેને દેશ-વિદેશથી હજારો પર્યટકો વડે મુલાકાત લેવામાં આવે છે. ઇતિહાસ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.[૨] સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. સ્થાપત્ય રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.