Skip to main content

4 કેમેરા સાથે લોન્ચ થયો Redmi Note 6 Pro, જાણો કિંમત અને ફિચર્સ


ચીની સ્માર્ટફોન મેકર શાઓમીએ Redmi Note 6 Pr રજૂ કર્યો છે. આ Redmi Note 5 Proનો અલગ મોડલ હશે અને આમાં ઘણા બધા ફેરફાર કરવામા આવ્યા છે. સૌથી મોટું પરિવર્તન આમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરો આપવામા આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 19:9 એસ્પેક્ટ રેશ્યો સાથે ડિસ્પલે નોચ આપવામા આવી છે.

Redmi Note 6 Proના ફિચર્સ

આ સ્માર્ટફોનમાં 6.26 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે અને તેનો એસ્પેક્ટ રેશ્યો 19:9નો છે. આમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 636 પ્રોસેસર સાથે 4GB રેમ આપવામા આવી છે. આની ઈન્ટરનલ મેમોરી 64GBની છે અને આને માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારવામાં આવી શકે છે. ડિસ્પલે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામા આવ્યો છે અને આમા 509 જીપીયૂ આપવામા આવ્યો છે.

ફોટોગ્રાફી માટે આમાં ડ્યુઅલ રિયર કેમેરો સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાંથી એક 12 એમપીનો છે, જ્યારે બીજો 5 એમપીનો છે જે ડ્યુઅલ પિક્સલ છે. સેલ્ફી બ્યૂટીફિકેશન માટે આમા AI ફિચર્સ આપવામા આવ્યો છે. આની બેટરી 4000mAhની છે અને કંપનીનો દાવો છે કે, એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી આને 2 દિવસ સુધી ચલાવી શકો છો.

આ સ્માર્ટફોનની કિંમત થાઈલેન્ડમાં 6990 THB (લગભગ 15,700 રૂપિયા) છે. આ કિંમત 4GB રેમ અને 64GB મેમોરીની છે. આનો બીજો વેરિએન્ટ પણ આવી શકે છે. ટૂંક સમયમાં જ શાઓમી તેના સૌથી મોટા માર્કેટ એટલે ઈન્ડિયામાં આ સ્માર્ટફોનને રજૂ કરી શકે છે.

Comments

Popular posts from this blog

હળદર ના ફાયદાઓ

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી  ડ્રગ્સ છે એટલે કે દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ એ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે ...

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે? ચિંતા ન કરો આ રીતે મળશે ડુપ્લીકેટ આધાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડને દેશભરમાં ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ ઓળખ ડોક્યુમેન્ટ ગણવામાં આવતા તેનું મહત્વ વધી ગયું છે. આધારથી દેશભરમાં બેંકખાતા, ટેક્સ પેમેન્ટ જોડવાની યોજના છે. આધાર કાર્ડના આધારે જ તમામ સહાય મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમે ચિંતા ન કરો. ખૂબ સરળતાથી ફરીથી મેળવી શકો છો તમારું આધાર કાર્ડ ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવા માટે તમારે આધાર નંબર જણાવવો પડશે. જો આધાર નંબર યાદ ન હોય તો રજિસ્ટ્રેશન દરમિયાન આપેલી રસીદ હોવી જરૂરી છે. આ રસીદની મદદથી તમે આધારકાર્ડની યૂઆઈડીએઆઈ વેબસાઈટ www.uidai.gov.in પર જઈ ડુપ્લિકેટ આધાર પ્રાપ્ત કરી શકો છો. જાણો કેટલીક એવી બાબતો જેની મદદથી સરળતાથી તમે ડુપ્લિકેટ આધાર મેળવી શકો છો. ફોલો કરો આ સરળ સ્ટેપ 1.સૌથી પહેલા http://resident.uidai.net.in/find-uid-eid પર જાવ. 2. વિકલ્પ મુજબ ‘આધાર નંબર(UDI) અથવા (EID)ની પસંદગી કરો. જેના આધારે તમે ખોયાવેલું આધાર મેળવવા માંગો છો.’ 3. તમારું પુરૂં નામ, ઈમેલ આઈડી અને રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરો. 4.સુરક્ષા...

whatsapp મેસેજ થી જાણો ટ્રેન કઈ જગ્યાએ છે.

રેલ્વેમાં યાત્રા તમે પણ કરતાં હશો, પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે રેલ્વે સ્ટેશન પહોંચો છો ત્યારે ખબર પડે છે કે ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી છે. તો સ્ટેશન પર બેસીને રાહ જોવી પડે છે. પરંતુ હવે એવું નહી થાય. IRCTCએ મેસેજિંગ એપ WhatsAppની સાથે મળીને એક નવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની મદદથી તમારા WhatsAppથી ટ્રેનનો સમય જાણી શકશો,આ સાથે જ ટ્રેનને સરળતાથી ટ્રેક કરી શકશો. MakeMyTrip ની સાથે મળીને રેલ્વે હવે whatsAppની મદદથી ટ્રેનના વિશે લાઇવ અપડેટ આપશે.. જાણો આ વિશે... WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા પછી 7349389104 નંબરને તમારી ફોન બુકમાં સેવ કરી લો. આ નંબર આવી ગયા પછી તમારે 139 પર ફોન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. તમે ખાલી એક ટ્રેન નંબરના મેસેજથી ટ્રેનનું સ્ટેટસ જાણી શકશો. આ સુવિધા માટે સૌથી પહેલા તમારે WhatsApp અપડેટ કરવાનું રહેશે. આ સુવિધા WhatsAppના લેટેસ્ટ વર્ઝનની સાથે આવે છે. અપડેટ કરવા માટે તમારે એપ સ્ટોર/પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં જઇને My Apps And Games પર જઇને  WhatsApp અપડેટ આ પછી ટ્રેનનો નંબર લખીને મેસેજ કરો. જેવો તમારો મેસેજ ડિલિવર થશે, રેલ્વે તમને ગણતરીની ...